- રોગના નિદાન તેમજ અસરગ્રસ્તોને રસીકરણ કરવાના કાર્યમાં માર્ગદર્શન અને સરળતા માટે આ નિર્ણય લેવાયો છે.
- ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે, જે પૈકી કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક કેસ નોંધાયો છે.
- કેરળમાં મંકીપોક્સ જેવા લક્ષણો ધરાવતા એક યુવકનું મૃત્યું થયેલ છે.
- ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલાં જ WHO એ મંકીપોક્સને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.