- ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળમાં બીજી વખત સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળવામાં આવ્યું.
- ભારતે અગાઉ ઓગસ્ટ 2021માં સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
- ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા દરમિયાન 14-15 ડિસેમ્બરે બે મુખ્ય બેઠકો થશે. આ બેઠકો "બહુપક્ષીયવાદના નવા સ્વરૂપો અને કાઉન્ટર-ટેરરિઝમ" વિષયો પર યોજવામાં આવશે. જેની અધ્યક્ષતા વિદેશ મંત્રી ડૉ. એસ.કે.જયશંકર કરશે.
- ભારત 15 સભ્યોની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને તેનો બે વર્ષનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થનાર છે.
- United Nations Security Council-UNSCના નિયમો અનુસાર તેના 15 સભ્યો વર્ણના ક્રમમાં પ્રમુખપદ મેળવે છે.