- ઓડિશાના બોલાંગીર-બારગઢ જિલ્લાઓમાં ફેલાયેલી અને 'આયુર્વેદિક દવાઓની ખાણ' તરીકે ઓળખાતી ગંધમર્દન પહાડીઓને જૈવવિવિધતા નિયમો-2012 હેઠળ 'Biodiversity Heritage Site'નો દરજ્જો આપવામાં આવ્યો.
- આ પહોડીઓ લગભગ 190 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે.
- તે કંધમાલ જિલ્લાના મંદસૂરુ ગોર્જ અને ગજપતિના મહેન્દ્રગઢ પછી રાજ્યનું ત્રીજું જૈવવિવિધતા ધરાવતું સ્થળ બનશે.
- આ પર્વતીય પ્રદેશમાં 1,055 છોડની પ્રજાતિઓ છે, જેમાંથી ઘણી ઔષધીય છે. પ્રાણીઓની 500 પ્રજાતિઓ પણ અહીં રહે છે.
- ગંધમર્દન આસામના માજુલી ટાપુ, બેંગ્લોરના નલ્લુર ટેમરિન્ડ ગ્રોવ, મેઘાલયના ખ્લાવ કુર સાયમ કિમીઇંગ પવિત્ર ગ્રોવ અને મધ્ય પ્રદેશના નારો હિલ્સ સાથે ભારતનું 37મું જૈવવિવિધતા ધરોહર સ્થળ બની ગયું છે.