વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તિરુચિરાપલ્લી એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • તિરુચિરાપલ્લીનો સાંસ્કૃતિક વારસો નવા ટર્મિનલ પર દર્શાવવામાં આવ્યો છે.
  • તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે જેમાં મંદિરની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. 
  • આ સિવાય એરપોર્ટની દિવાલો પર પણ આર્ટવર્ક બનાવવામાં આવ્યા છે તેમાં કોલમ આર્ટથી લઈને શ્રીરંગમ મંદિરના રંગો અને અન્ય થીમ આર્ટવર્ક દર્શાવવામાં આવ્યા છે.
  • નવા ટર્મિનલ બિલ્ડીંગમાં 60 ચેક-ઈન કાઉન્ટર, પાંચ બેગેજ કેરોસેલ્સ, 60 અરાઈવલ ઈમિગ્રેશન કાઉન્ટર અને 44 ડિપાર્ચર ઈમિગ્રેશન કાઉન્ટર છે.
  • આ નવી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ઇમારત વાર્ષિક 44 લાખથી વધુ મુસાફરો અને પીક અવર્સ દરમિયાન આશરે 3,500 મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે.
  • ટર્મિનલ બિલ્ડિંગ વિકસાવવા માટે રૂ. 1,100 કરોડનો ખર્ચ થયો છે.
PM Modi to inaugurate Tiruchirappalli International Airport terminal in Tamil Nadu

Post a Comment

Previous Post Next Post