પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ધાર્મિક યાત્રાધામ પાવાગઢમાં 538 વર્ષ પછી પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું.

  • વર્ષોથી મંદિરનું શિખર ખંડિત હતું અને હિંદુ માન્યતા મુજબ તૂટેલા શિખર પર ધજા ચઢાવી શકાય નહિ.
  • પરંતુ હવે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે જેથી આ ધ્વજારોહણ કરવામાં આવ્યું.
  • પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર શહેર આવેલું છે, જે મહારાજા વનરાજ ચાવડાએ તેમના જ્ઞાની મંત્રી ચંપાના નામે બંધાવ્યું હતું.  
  • પાવાગઢ પર્વત પર સ્થિત શક્તિપીઠ 52 શક્તિપીઠોમાંથી એક છે જેમાં માં કાલીની પૂજા થાય છે.
  • ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે.
  • આ સ્થળને 2004માં વિશ્વ વિખ્યાત સંસ્થા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
  • આ મંદિર પર વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મોહમ્મદ બેગડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.  
  • આ મંદિરનું પુનઃનિર્માણ કનકકૃતિ મહારાજ દિગમ્બર ભાત્રકે કરાવ્યું હતું.  
  • આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું.  
  • આ મંદિરનું ધાર્મિક મહત્વ પણ છે.  મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થાન છે. 
  •  આ પવિત્ર સ્થળ પર અદનશાહ પીરની દરગાહ આવેલી છે.
  •  અહીં પ્રાચીન ઋષિ વિશ્વામિત્રએ માતા કાલી માટે કઠોર તપસ્યા કરી હતી.
  •  પાવાગઢની ઊંચાઈ દરિયાની સપાટીથી લગભગ 762 મીટર છે.
  •  દર વર્ષે માધ માસની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.
  •  પાવાગઢની ગોદમાં વસેલું ચાંપાનેર શહેર પ્રાચીન ગુજરાતની રાજધાની ગણાય છે.

Post a Comment

Previous Post Next Post