- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું.
- આ સાથે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ અભિયાનનો આરંભ થયો છે.
- સખી મંડળ સંચાલિત આ નવતર પ્રયોગમાં કોઈ ગ્રાહક પ્લાસ્ટિક જમા કરાવશે તો તેમને વિના મૂલ્યે પૌષ્ટિક નાસ્તો અને લીંબુ સરબત આપવામાં આવશે.
- આ ઉપરાંત પ્રાકૃતિક નાસ્તો, સાત્વિક ભોજન, માટીના વાસણ વગેરેનું રાહતદરે વેચાણ કરી લોકો પ્લાસ્ટિકને તિલાંજલિ આપી પ્રકૃતિ તરફ વળે તેવો પ્રયાસ કરવામાં આવશે.