- એક હજારથી વધુ લોકોની અવરજવર વાળી સંસ્થાઓ, અને જાહેર સ્થળોએ CCTV લગાડવાના ગુજરાત સરકાર જાહેર સલામતી(પગલા) અધિનિયમનો 1 ઓગસ્ટ, 2022થી અમલ કરવામાં આવશે.
- પ્રાથમિક તબ્બકે 8 મહાનગર પાલિકાના જિલ્લાઓ અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં કાર્યરત કરવામાં આવશે.
- 2021,ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં જાહેર સલામતી અધિનિયમ પસાર કરવામા આવ્યો હતો.
- આવા સ્થળોમાં ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ઔધોગિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.
- કાયદાના અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા "જાહેર સલામતી સમિતિ" ની રચના કરવામાં આવશે.
- નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતમાં બનેલી આ સમિતિમાં નાયબ પોલીસ અધિક્ષકથી ઉપr કક્ષાના ના હોય તેવા પોલીસ અધિકારી સચિવ રહેશે.
- ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનર સભ્ય અને જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયશનના 3 થી વધુ નહિ તેટલા વ્યક્તિઓ પણ સભ્ય રહેશે.
- આ નિયુક્તિનો સમયગાળો 3 વર્ષનો રહેશે.
- જાહેર સલામતી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવી હોય તેવા એકમો-સંસ્થાઓએ આગામી 6 મહિનામાં CCTV લગાડવાના ફરજિયાત રહેશે.
- સમિતિના સભ્યો 2 દિવસની નોટીસ આપીને સ્થળ તપાસણી કરી શકશે.
- પી.એસ.આઇ આવા કોઈ પણ સ્થળે સીસીટીવી ફૂટેજ માંગી શકશે.
- જેમાં કોઈ ખામી મળ્યે દંડની જોગવાઈ છે.
- જાહેર સલામતી સમિતિના કોઈ હુકમ સામે એકમો-સંસ્થાઓ 30 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અપીલમાં જઇ શકશે.
- જિલ્લા મેજસ્ટ્રેટ 60 દિવસોમાં અપીલ નિકાલ કરશે.