- ચૂંટણી પંચ દ્વારા ત્રિપુરામાં આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં 90 ટકાથી વધુ મતદાન વધારવા માટે "મિશન-929" અમલમાં મુકવામાં આવ્યું જેમાં 929 મતદાન મથકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- યોજનાના ભાગ રૂપે મતદાન વધારવા માટે ચૂંટણી અધિકારીઓ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓને મળશે અને તેમને મતદાન કરવા અપીલ કરશે અને જાગૃતિ અભિયાન ચલાવશે.
- વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે મતદાન મથકો પર રેમ્પ, વ્હીલચેર અને અલગ કતાર જેવી તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
- ઉપરાંત ચૂંટણી આયોગ દ્વારા શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે 'મિશન ઝીરો પોલ વાયોલન્સ' પર પણ શરૂ કરવામાં આવ્યું છે.