- વર્ષ 2023ની થીમ ‘Soil and Water: A source of life’ રાખવામાં આવી છે.
- વિશ્વ માટી દિવસ 2023 અને તેના અભિયાનનો ઉદ્દેશ ટકાઉ અને સ્થિતિસ્થાપક કૃષિ ખાદ્ય પ્રણાલીઓ હાંસલ કરવા માટે જમીન અને પાણી વચ્ચેના નિર્ણાયક સંબંધ વિશે જાગૃતિ લાવવાનો છે.
- International Union of Soil Sciences (IUSS) દ્વારા વર્ષ 2002માં માટીની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના કરવાની ભલામણ કરી હતી.
- થાઈલેન્ડ દેશ દ્વારા આ દિવસની ઉજવણી માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના સમર્થન સાથે નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
- જૂન 2013 માં યોજાયેલ.FAO કોન્ફરન્સમાં સર્વસંમતિથી તેને સમર્થન આપવામાં આવ્યું હતું જેના કારણે 5 ડિસેમ્બર, 2014ના રોજ 68મી UN જનરલ એસેમ્બલીમાં તેને સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું.
- આ ઉપક્રમે ગુજરાતના અમદાવાદ શહેરમાં ખાદી માટીકલા મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું ઉપરાંત 300 કુંભારોને ઈલેક્ટ્રીક વ્હીલ, 200 ખાદી કારીગરોને સ્વદેશી ચરખા અને 100 લાભાર્થીઓને ટૂલકીટ અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું.