- આ માટે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદે નડાબેટમાં 'સીમાદર્શન' અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાશે.
- આ પ્રોજેક્ટનું 15મી ઑગષ્ટ પહેલા જ લોકાર્પણ કરવામાં આવશે.
- આ માટે નડાબેટમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર અને સરહદ સલામતીની પ્રતિકૃતિ સમાન ગેઇટના કામ કરવામાં આવશે.
- નડાબેટ ટી પોઇન્ટ નજીક ઓડિટોરિયમ તેમજ પ્રવાસીઓ માટે આગમન પ્લાઝા, પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
- પ્રવાસીઓને ડિસ્પ્લેમાં દર્શાવવા માટે સરફેસ ટુ સરફેસ મિસાઇલ, ટી-55 ટેન્ક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક તેમજ મિગ-27 વિમાન મુકવામાં આવશે.