વડોદરાના અધ્યાપક દ્વારા તબલાના ઇતિહાસ પર રસપ્રદ સંશોધન કરી તેને ભારતીય સંગીતનો હિસ્સો દર્શાવાયું.

  • આ સંશોધન વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા કરાયું છે.
  • હાલમાં એવી માન્યતા છે કે લગભગ 1810માં અરબસ્તાનથી તબલા ભારત આવ્યા હતા જેને અરબસ્તાનમાં અતલબ તરીકે ઓળખાતા હતા.
  • અમુક લોકો તબલાને ભરતકાલીન દુક્ર વાદ્યમાંથી બનાવાયા હોવાનું પણ માને છે.
  • અમુક લોકો હુમાયુના સમયમાં તબલ-એ-અદલ નામના વાદ્યમાંથી તબલાનો જન્મ થયાનું માને છે જેનો કોઇ પ્રમાણિત ઇતિહાસ નથી.
  • સૌથી વધુ માન્ય ઇતિહાસ મુજબ અલ્લાઉદ્દીન ખિલજીના દરબારી કવિ હજરત અમીર ખુશરોએ તબલાના હાલના સ્વરુપની શોધ કર્યાનું મનાય છે જેનો ઉલ્લેખ 1855ના મોહમ્મદકરમ ઇમામના પુસ્તક 'મઅદન-ઉલ-મુસીકી' માં પણ ઉલ્લેખ છે.
  • વડોદરાના અધ્યાપક દ્વારા ઇડર ગઢ પર આવેલ 2200 વર્ષ જૂના ભગવાન શાંતિનાથ જૈન શ્વેતાંબર દેરાસરની એક મૂર્તિનો હવાલો આપી તેને ભારતીય સંગીતનો હિસ્સો જણાવાયું છે.
  • આ મૂર્તિમાં એક નૃત્યાંગના તબલા વગાડતી દેખાય છે જે મૂર્તિનો જિર્ણોદ્ધાર 1114 થી 1174 દરમિયાન રાજા કુમારપાળે કરાવ્યો છે.
  • તબલા પર સૌપ્રથમ આબાન મિસ્ત્રીએ આ પ્રકારનું સંશોધન કર્યું હતું ત્યારબાદનું આ બીજુ સંશોધન છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે સિતાર અને તબલા ભારતીય સંગીતનો ભાગ છે કે નહી તે બાબતે અનેક લોકોએ અનેક પ્રકારના વિચાર આપેલા છે.
research on tabla


Post a Comment

Previous Post Next Post