- દિલ્હી હાઇકોર્ટ દ્વારા તલાક અંગેના એક કેસ દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી છે જેમાં જસ્ટિસ પ્રતિભાસિંહે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થવાની વાત કરી છે.
- હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સુપ્રીમકોર્ટના ચૂકાદાને આધાર બનાવીને સમાન નાગરિક સંહિતા બનાવવા માટે વિચાર કરવા કહ્યૂં છે.
- હાઇકોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરાઇ છે કે સમાજમાં જ્ઞાતિ અને ધર્મનું અંતર મટી રહ્યું છે જેથી સમાન કાયદો હોવો જરુરી છે.
- અગાઉ 1985માં સુપ્રીમકોર્ટ દ્વારા એક નિર્દેશમાં Uniform Civil Code ની વ્યવસ્થા કરવા સરકારને કહ્યું હતું.
- બંધારણના ભાગ-4માં વર્ણિત રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ 44 રાજ્યને યોગ્ય સમય દરમિયાન તમામ ધર્મ માટે એકસમાન નાગરિક સંહિતા ઘડવા નિર્દેશ આપે છે.
- ભારતના બંધારણનો અનુચ્છેદ 44નો ઉદેશ્ય નબળા વર્ગો સહિત સાંસ્કૃતિક જૂથો વચ્ચે પરસ્પર મેળને વધુ મજબૂત કરવાનો છે.
