- આ બિલ રાજ્યસભામા પહેલાથી જ પસાર થયેલું છે.
- આ સંશોધન બિલમા અરુણાચલ પ્રદેશથી સંબંધિત અનુસૂચિત જનજાતિઓની યાદીમાં ફેરફાર કરવાની જોગવાઇ છે.
- આ યાદીમાં ફેરફાર ન થઇ શકતો હોવાથી અરુણાચલ પ્રદેશના નગા આદિવાસીઓને ઘણી યોજનાઓનો લાભ મળી શકતો ન હતો.
- આ સાથે લોકસભામાં જમા વીમા અને ઋણ ગેરેન્ટી નિગમ (સંશોધન) બિલ, 2021 પણ પસાર કરાયું છે જેને પણ રાજ્યસભા દ્વારા પહેલા જ પસાર કરાવી દેવાયું છે.
- આ બિલ જમા વીમા અને ઋણ ગેરેન્ટી નિગમ અધિનિયમ, 1961નું સ્થાન લેશે.
