- રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવ્યો છે જેમાં રાજ્યોને પોતાની અન્ય પછાત વર્ગ (ઓબીસી) યાદી તૈયાર કરવાની સત્તા આપવામાં આવી છે.
- આ ખરડાને '105મો બંધારણીય સુધારો' તરીકે માન્યતા અપાઇ છે.
- આ ખરડા બાદ ઘણા રાજ્યોમાં ઓબીસી તરીકે માન્યતા મેળવવા માટે રાહ જોતા પાટીદાર, મરાઠા, લિંગાયત સહિતના સમુદાયોને ઓબીસીમાં સમાવવા માટેનો માર્ગ મોકળો થશે.
- આ બિલને મંજૂરી મળતા દેશની લગભગ 671 જાતિઓને અનામતનો લાભ મળશે.
