- વડાપ્રધાન મોદીએ આજે પ્રકાશ પર્વ પર આ દિવસની જાહેરાત કરી છે.
- આ જાહેરાત મુજબ દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે મનાવવામાં આવશે.
- આ જાહેરાત ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહિબઝાદા (પુત્ર)ઓને શ્રદ્ધાંજલી સ્વરુપે કરવામાં આવી છે.
- ગુરુ ગોવિંદસિંહજીના આ ચાર સાહિબઝાદાઓમાં સાહિબઝાદા અજિત સિંહ, સાહિબઝાદા જુઝરસિંહ, સાહિબઝાદા ઝોરાવરસિંહ અને સાહિબઝાદા ફતેહસિંહનો સમાવેશ થાય છે.