- 8 ડિસેમ્બરના રોજ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 12 લોકોનું જેમા નિધન થયું હતું તે હેલિકોપ્ટર ક્રેશની તપાસ પૂર્ણ થઇ છે.
- આ તપાસ કરતી સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે જેમાં હેલિકોપ્ટર પાયલટની ભૂલથી ક્રેશ થયું હોવાનો ખુલાસો થયો છે.
- આ તપાસ માટે સરકાર દ્વારા 'ટ્રાઇ-સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી' ની નિયુક્તિ કરવામાં આવી હતી.
- આ રિપોર્ટ મુજબ હવામાનમાં અચાનક આવેલ ફેરફાર તેમજ વાદળોને લીધે પાયલટ દ્વારા ભૂલ (Controlled Flight into Terrain - CFIT) થઇ હતી જેને પગલે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.