- એક સુનવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા આ મનાઇ ફરમાવી છે.
- કોર્ટ દ્વારા અપાયેલ આદેશ મુજબ ફાયર NOC વિનાની કુલ 71 હોસ્પિટલ્સને સર્જરી કરવાની મનાઇ કરવામાં આવી છે, આવી હોસ્પિટલ્સ ફક્ત ઓપીડી જ ચાલુ રાખી શકશે.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં આપેલ સોગંધનામામાં જણાવ્યું હતું કે શહેરમાં એક્પણ હોસ્પિટલ ફાયર NOC વિનાની નથી.
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલ સોગંધનામા મુજબ રાજ્યમાં 229 શાળાઓ એવી છે જેની પાસે ફાયરસેફ્ટી નથી.