કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો.

  • આ નિર્ણય ઘઉંની સરકારી ખરીદ ઘટી હોવાથી તેમજ હવામાનના મારથી ઘઉંના પાક પર અસર પડી હોવાથી લેવાયો છે.
  • કેન્દ્ર દ્વારા આ જાહેરનામામાં જણાવાયું છે કે અનેક દેશોમાં ઘઉંની કિંમત વધી હોવાથી તેમજ ભારતના પાડોશી દેશોની ખાદ્ય સુરક્ષા જોખમાઇ હોવાથી આ નિર્ણય લેવાયો છે.
  • હાલ કેન્દ્ર દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવાઇ છે, જો આ યોજનાને વધુ આગળ લંબાવાશે તો સરકારી ગોદામમાં ઘઉં ખાલી થઇ જશે.
  • ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2020-21 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 43,78,000 ટન તેમજ વર્ષ 2021-22માં 40,57,000 ટન થયું છે.
India Bans Wheat Exports 2 Days After Announcing Massive Trade Goal

Post a Comment

Previous Post Next Post