- United Arab Emirates ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના મૃત્યું બાદ યુએઇમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
- તેઓના મૃત્યું બાદ ભારતે પણ એક દિવસ પોતાના રાષ્ટ્રધ્વજને આડી કાઠીએ ફરકાવી તેઓને સમ્માન આપ્યું છે.
- તેઓ જાયદ બિન સુલતાન અલ નાહ્યાન બાદ યુએઇના બીજા રાષ્ટ્રપતિ હતા જેઓ આ પદ પર વર્ષ 2004થી હતા.
- શેખ ખલિફાની બ્રાઝિલ, સ્પેન, યુ.કે., નેધરલેન્ડ, સાઉથ કોરિયા તેમજ યુક્રેન દ્વારા પોતપોતાના દેશોના વિવિધ ઉચ્ચ સમ્માન અપાયા હતા.
- તેઓના મૃત્યું બાદ IIFA Awards 2022 ના કાર્યક્રમને મોકૂફ રખાયો છે.
- તેઓના નિધન બાદ યુએઇના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહ્યાનની નિયુક્તિ કરવામાં આવી છે.