- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 4 જુલાઈ થી 18 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- પ્રથમ દિવસે મહેસાણા તાલુકાના જોરણગ અને જગુદન, કડી તાલુકાના કલ્યાણપુરા અને જેસંગપુરા તેમજ વિજાપુર તાલુકાના ડાભલા અને કોલવડા ગામે કાર્યક્રમ યોજાશે.
- 15 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની સમીક્ષા અને આયોજન માટે અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે.
- આમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રભાતફેરી, આરોગ્ય વિભાગ દ્વારા યોગ અભ્યાસ અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.
- લાભાર્થીઓને સહાય હુકમ, પ્રમાણપત્ર, સનદ અને કીટનું વિતરણ કરાશે.