- આ એવોર્ડ પશુપાલન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા કરેલી નોંધપાત્ર કામગીરી માટે મળેલ છે.
- કેન્દ્રિય કાયદા રાજ્યમંત્રી એસ.પી. સિંહ બધેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુની ઠાકરને આ પુરસ્કાર અર્પણ કરાયો.
- રાજ્યમાં પશુ સારવાર આપવા 702 પશુ દવાખાન, 34 વેટરનરી પોલિક્લિનીક, 45 ફરતા પશુ દવાખાન અને 18 પશુ અન્વેશણ એકમોની સુવિધા ઉપલબ્ધ છે.
- ગ્રામીણ વિસ્તારોમાં 552 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે.
- રાજ્યમાં શહેરી વિસ્તારોમાં પશુ સારવાર માટે 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા છે.
- આ ઉપરાંત વિવિધ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોના 990 પશુ ચિકીત્સકો જે તે દૂધસંઘનો સભાસદોના પશુઓને સારવાર પૂરી પાડે છે.