- 12મી ઓગષ્ટ, 2022એ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 'ધોળીધજા ડેમ' ખાતે રાજયકક્ષાના વનમહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
- જેના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'સાંસ્કૃતિક વન વટેશ્વર વન' લોકાર્પણ કરવામાં આવશે.
- આ સિવાય મુખ્યમંત્રી દ્વારા રાજયમાં અલગ અલગ જગ્યાએ '75 નમો વન' નું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.
- વટેશ્વર વનની સ્થાપના ધોળી ધજા ડેમ અને વડવાળા મંદિરની નજીક કરવામાં આવશે.
- આ વનનું નિર્માણ આયુષ ઔષધી આધારિત છે.
- આ વનમાં 75000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.