- આ એવોર્ડની જાહેરાત સરકાર દ્વારા 25 જાન્યુઆરી, 2022માં કરવામાં આવી હતી.
- સત્ય નડેલા સાથે ગુગલના ભારતીય મૂળના CEO સુંદર પિચાઇને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હૈદરાબાદમાં જન્મેલા નડેલાને ફેબ્રુઆરી 2014માં માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- જૂન 2021થી CEO સાથે કંપનીના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
- પદ્મ પુરસ્કારો એ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું ત્રીજું સન્માન છે જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરવામાં આવે છે.