- બિહાર મુખ્યમંત્રી દ્વારા નાલંદા જિલ્લાના રાજગીરથી આ યોજનાના પ્રથમ ચરણનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- ડિસેમ્બર 2019માં ગયામાં યોજાયેલ બિહાર સરકારની કેબિનેટની વિશેષ બેઠકમાં આ મહત્વાકાંક્ષી "ગંગા પાણી પુરવઠા પ્રોજેક્ટ" હેઠળ "હર ઘર ગંગા" યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગા નદીના વધારાના કે પૂર ઉત્પન્ન કરતાં પાણીને દક્ષિણ બિહારના જળ-તણાવવાળા શહેરો સુધી લઈ જઈને પીવાના પાણી તરીકે ઉપયોગ કરવાનો છે.
- દેશમાં ગંગા નદીના પૂરના પાણીને પીવાના પાણીમાં રૂપાંતરિત કરીને આશરે 7.5 લાખ લોકો સુધી પીવાના પાણી તરીકે પહોંચાડવાની આ પ્રકારની પ્રથમ યોજના છે.
- ગંગા પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટને અલગ-અલગ તબક્કામાં અમલમાં મુકવામાં આવશે.
- આ પ્રોજેક્ટ દ્વારા, ગંગા નદીના પાણીને પૂરના મોસમ દરમિયાન પાણીના દબાણવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવશે અને ત્રણ જળાશયોમાં સંગ્રહિત કરવામાં આવશે.
- સંગ્રહિત પાણીને વોટર પ્લાન્ટમાં સાફ કરીને આખા વર્ષ દરમિયાન ઘરોમાં પહોંચાડવામાં આવશે.
- Megha Engineering & Infrastructure Limited (MEIL) દ્વારા મે, 2020થી આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
- બિહાર રાજ્યની ભૌગોલિક પરસ્થિતિ મુજબ ઉત્તર બિહારના મોટા વિસ્તારો દર વર્ષે પૂરનો સામનો કરે છે જ્યારે દક્ષિણ બિહારના અનેક જિલ્લાઓમાં દર વર્ષે દુષ્કાળનો પડે છે. જેથી ત્યાં ઘણી જગ્યાએ ભૂગર્ભ જળ સ્તર નીચું જવાની સમસ્યા ઉદભવેલ છે.
- આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નાલંદા, ગયા અને નવાડા જિલ્લાના આ દક્ષિણ વિસ્તારોને ટ્રીટેડ ગંગાના પાણીનો સપ્લાય કરવાનો છે.
- પટના જિલ્લાના હાથીદાહ તાલુકાના મોકામા શહેરમાં ગંગા નદીમાંથી પાણી મેળવવા માટે ઇન્ટેક પંપ હાઉસ બનાવવામાં આવ્યું છે જેની કુલ ક્ષમતા 19.4 ક્યુમેક્સ છે.
- તેમાં ત્રણ મોટર લગાવવામાં આવી છે, જેમાંથી બે કામ કરી રહી છે અને એક સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
- પ્રથમ તબક્કાની શરૂઆતમાં હાથીદાહ ખાતેના ઇન્ટેક પંપ હાઉસમાંથી નાલંદા જિલ્લાના રાજગીર બનાવેલ સંગ્રહિત જલ ક્ષેત્ર સુધી 5.450 ક્યુમેક્સ પાણી છોડવામાં આવશે.
- ત્યારબાદ ત્યાંથી તેને ગંગાજી રાજગૃહ જળાશય, ઘોરા કટોરા તળાવ અને 24 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)માં વિતરિત કરી આ પાણીને શુદ્ધ કરીને લોકોના ઘરે મોકલવામાં આવશે.
- ગંગા નદીમાંથી પાણી લાવવા માટે કુલ 151 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન નાખવામાં આવી છે.
- આ યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 135 લિટર શુદ્ધ પાણી પૂરું પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
- પ્રથમ તબક્કામાં બિહારના ગયા અને બોધ ગયામાં પણ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- યોજનાના બીજા તબક્કામાં જૂન 2023 સુધીમાં નવાડા જિલ્લાના દરેક ઘરમાં ગંગાજળ પહોંચાડવાનું લક્ષ્ય છે.