- આ ઉદઘાટન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા ડૉ. સોમનાથ દ્વારા કરવામાં આવ્યું.
- આ લોન્ચપેડ અને કંટ્રોલ સેન્ટર ઈસરોના વૈજ્ઞાનિકોની મદદથી ખાનગી સ્પેસ કંપની "અગ્નિકુલ કોસ્મોસ"દ્વારા બનાવવામાં આવ્યું છે.
- અગ્નિકુલ કોસ્મોસની શરૂઆત વર્ષ 2017માં ચેન્નાઈમાંકરવામાં આવી હતી.
- તેની શરૂઆત શ્રીનાથ રવિચંદ્રન, મોઈન એસપીએમ અને આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એસઆર ચક્રવર્તી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
- અગ્નિકુલ કોસમોસ કંપનીમાં ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ રોકાણ આનંદ મહિન્દ્રાએ 80.43 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
- આ સિવાય પી વેન્ચર્સ, સ્પેશિયલ ઈન્વેસ્ટ અને અર્થ વેન્ચર્સે દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે.
- અગ્નિકુલ કોસમોસ હાલમાં એક નાનું પ્રાઈવેટ રોકેટ "અગ્નિબાણ" બનાવી રહ્યું છે.
- તે પ્લગ-એન્ડ-પ્લે એન્જિન કન્ફિગરેશન ધરાવનાર આ રોકેટ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 100 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને સ્થાપિત કરવામાં સક્ષમ છે.
- ભારતના આ પ્રથમ ખાનગી લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટર ખાતેથી પ્રથમ ખાનગી રોકેટ "અગ્નિબાણ" લોન્ચ કરવામાં આવશે.