- બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિત એક સરહદી ગામ માના પ્રવેશદ્વાર પર 'ભારતનું પ્રથમ ગામ'નું સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું. તેનો ફોટો રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
- ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં 3200 મીટરની ઉંચાઈ પર આવેલું માના ગામ સરસ્વતી નદીના કિનારે આવેલું છે.
- તે પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થળ બદ્રીનાથથી લગભગ 5 કિમી દૂર છે.
- માના ગામ અહીં મળતી જડીબુટ્ટીઓ માટે પ્રખ્યાત છે.