- આ સમિટનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને તેની ગ્રાન્ટી સંસ્થા ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC) સાથે મળીને 20-21 એપ્રિલ, 2023ના રોજ કરવામાં આવ્યું છે.
- કેન્દ્ર સરકાર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બૌદ્ધ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ બે દિવસીય વૈશ્વિક બૌદ્ધ સમિટની થીમ 'સમકાલીન પડકારોનો પ્રતિસાદ: ફિલોસોફીથી પ્રેક્ટિસ' રાખવામાં આવી છે.
- આ સમિટમાં લગભગ 30 દેશોના પ્રતિનિધિઓ અને વિદેશી દેશોના લગભગ 171 પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના 150 પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે.