તેલંગાણામાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ પ્રતિમા તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયની બાજુમાં બુદ્ધ પ્રતિમાની સામે અને તેલંગાણા શહીદ સ્મારકની બાજુમાં સ્થાપિત કરેલ છે.
  • આ પ્રતિમા ભારતમાં ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમા છે.
  • આ પ્રતિમા પદ્મભૂષણ વિજેતા 98 વર્ષીય રામજી સુતાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી 'દલિત બંધુ યોજના'માં, અનુસૂચિત જાતિના પરિવારોને વ્યવસાય શરૂ કરવા માટે 100 ટકા ગ્રાન્ટ તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. 
  • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ આપવામાં આવેલી આ ગ્રાન્ટને ચૂકવવાની જરૂર નથી.
Telangana CM unveils 125 ft-tall Ambedkar statue unveiled in Hyderabad

Post a Comment

Previous Post Next Post