- તેઓએ પોતાની વધતી ઉંમરને કારણે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની પસંદગી સમિતિમાંથી રાજીનામું આપ્યું.
- 84 વર્ષીય રંધાવા વર્ષ 1962 એશિયન ગેમ્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતનાર અને વર્ષ 1964 ઓલિમ્પિકમાં 110 મીટર હર્ડલ્સમાં પાંચમા સ્થાને રહ્યા હતા.
- ઉપરાંત તેઓ 1964 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીના ધ્વજ વાહક હતા.
- તેમને વર્ષ 1961માં અર્જુન એવોર્ડ અને 2005માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.