સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તા.2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે.

  • ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યું છે.
  • ‘મેઘ મલ્હાર’નું ઉદઘાટન ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાશે
  • આ પર્વની ઉજવણી દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઈન રન મેરેથોન, તથા શુક્ર, શની અને રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં સવિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
  • આ સિવાય પ્રતિદિન સ્થાનિક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોની પ્રસ્તુતિની ઝાંખી કરવામાં આવનાર છે. આ સિવાય, ક્રાફટ અને ફૂડ સ્ટોલ, મોન્સૂન થીમ પર સુશોભન અને યુવાનોને આકર્ષતી અનેક પ્રકારની એડવેન્ચર એકટીવીટી, વિવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે.
'Megh Malhar-2023'


Post a Comment

Previous Post Next Post