યુનેસ્કો દ્વારા ગુજરાતના 'ગરબા'ને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો.

  • ભારત દ્વારા ગુજરાતની પ્રતિષ્ઠિત પરંપરાગત નૃત્ય શૈલી ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂકવામાં આવ્યો હતો. 
  • યુનેસ્કો દ્વારા ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબાને માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage - ICH)' ને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપ્યું છે. જે જાહેરાત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની સેફગાર્ડિંગ કમિટીની ઇન્ટરગવર્મેન્ટલ સમિતિની 18મી બેઠક દરમિયાન વર્ષ 2003ના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેના સંમેલનની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી.
  • આ યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતના ગરબા ભારતમાંથી 15મું ICH એલિમેન્ટ છે. 
  • યુનેસ્કોની યાદીમાં મણિપુરના સંકીર્તન, ઢોલ વગાડવું અને નૃત્ય, દુર્ગાપૂજા, કુંભમેળો, યોગ, નોવરોઝ, જંડિયાલા ગુરૂના થાથેરાઓમાં પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કારીગરી અને લદ્દાખનું બૌદ્ધ નૃત્ય છે. આ ઉપરાંત કાલબેલિયા લોકગીતો, રાજસ્થાનના નૃત્યો, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક, રામમન, વૈદિકજાપ, અર્ને રામલીલા એમ કુલ 14 તત્વો અંકિત થયેલા છે.
Garba Of Gujarat Is A World Heritage

Post a Comment

Previous Post Next Post