- આ કવાયત 19 થી 27 ફેબ્રુઆરી, 2024 દરમિયાન પૂર્વીય સમુદ્ર તટ પર આયોજિત કરવામાં આવશે.
- આ કવાયતમાં ભારતીય નૌકાદળ દ્વારા બે વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત - તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- બહુપક્ષીય નૌકા કવાયત (Milan-24) ભારતીય નૌકાદળની ઈસ્ટર્ન નેવલ કમાન્ડ આ ફ્લેગશિપ કવાયતનું આયોજન કરશે.
- આ કવાયતમાં લગભગ 50 દેશોના પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવશે જેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને મલેશિયાનો સમાવેશ થાય છે.
- INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત બંને જહાજો એરક્રાફ્ટ કેરિયર છે જે બંને જહાજો અનેક પ્રકારના વિમાનો માટે તરતા પ્રક્ષેપણ ક્ષેત્ર તરીકે કામ કરે છે.