- હાથીઓના કારણે થતા ટ્રેન અકસ્માતોને રોકવા માટે 'ગજરાજ સુરક્ષા કવચ' નામની નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી.
- આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલ છે અને તેમાં Artificial Intelligence (AI) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ગજરાજ સુરક્ષા કવચ એ Intrusion Detection System (IDS) છે જે દબાણ તરંગોની સંવેદના દ્વારા હાથીઓના પગથી થયું કંપન માપે છે અને આ માહિતી OFC કેબલ દ્વારા સ્ટેશન માસ્ટરને મોકલવામાં આવે છે આ માહિતીના આધારે સ્ટેશન માસ્ટર ટ્રેનને રોકી શકે છે.
- ગજરાજ સુરક્ષા કવચ ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, આસામ, કેરળ, છત્તીસગઢ અને તમિલનાડુના ભાગોમાં શરૂ કરવામાં આવશે.