- આ પ્રતિમા મહારાષ્ટ્રના સિંધુદૂર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લા ખાતે ખુલ્લી મુકાઇ છે.
- આ પ્રતિમાનું અનાવરણ ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના રોજ કરાયું છે.
- ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેનાનો નવો ધ્વજ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપકની મોહરથી પ્રેરિત છે જેને ગયા વર્ષે જ INS વિક્રાંતને શરુ કરતા સમયે અપનાવાયો હતો.
- છત્રપતિ શિવાજી મહારાજનું પુરુ નામ શિવાજીરાજે ભોંસલે હતું જેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી તેમજ મુગલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબ સાથે સંઘર્ષ કર્યો હતો.
- વર્ષ 1674માં રાયગઢ ખાતે તેમનો રાજ્યભિષેક થયો હતો અને તેઓ 'છત્રપતિ' બન્યા હતા.