- આ માટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.
- ઉપરાંત સાથે જ સુપ્રીમ કોર્ટે દ્વારા રાજ્યમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો.
- CJI ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી અને રાજ્યને બે ભાગો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચવામાં આવ્યુ હતું.
- સુપ્રીમ કોર્ટમાં તેની સામે કુલ 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.