તેલંગાણા સરકાર દ્વારા મહાલક્ષ્મી મફત બસ પરિવહન યોજનાની શરૂઆત કરવામાં આવી.

  • આ જાહેરાત હેઠળ પરિવહન વિભાગ દ્વારા 9 ડિસેમ્બર, શનિવારના રોજ સત્તાવાર રીતે 'મહા લક્ષ્મી મફત બસ' યોજના શરૂ કરવામાં આવી. 
  • યોજના હેઠળ, તેલંગાણા રજયબ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TSRTC)ની બસો કોઈપણ અંતર આધારિત પ્રતિબંધ વિના તમામ વય જૂથોની છોકરીઓ અને મહિલાઓ અને તેલંગાણામાં રહેતી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને તેલંગાણા રાજ્યમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે આ માટે તેલંગાણાના મહિલા અને બાલિકા રહેવાસીઓ માન્ય ઓળખ કાર્ડ બનાવીને સેવાનો લાભ લઈ શકે છે અને તેમને 'ઝીરો ટિકિટ' આપવામાં આવશે.
  • આ પહેલ રાજ્યની સરહદો સુધી સિટી ઓર્ડિનરી, એક્સપ્રેસ, મેટ્રો એક્સપ્રેસ અને પલ્લે વેલુગુ બસમાં મુસાફરી કરવા માટે લાગુ પડશે.  
  • પ્રારંભિક દિવસોમાં, મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે અને મુસાફરોના નંબર રેકોર્ડ કરવામાં આવશે.  ચારથી પાંચ દિવસમાં ઝીરો ટિકિટ આપવા માટે ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
Mahalakshmi free bus transport scheme launched by Telangana government.

Post a Comment

Previous Post Next Post