જયપુર વેક્સ મ્યુઝિયમમાં બાબા આંબેડકરની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.

  • ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર.આંબેડકરની પ્રતિમા તેઓના નિધનની સ્મૃતિમાં મહાપરિનિર્વાણ દિવસની સાથે 6 ડિસેમ્બરે નાહરગઢ કિલ્લાના જયપુર વેક્સ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવી.
  • તેઓની મીણની પ્રતિમા 5 ફૂટ 11 ઇંચ ઊંચાઈ અને જેનું વજન આશરે 38 કિલો છે. જે તેમના હસ્તાક્ષરવાળા વાદળી પોશાકમાં હાથમાં બંધારણ પુસ્તક સાથે દર્શાવવામાં આવેલ છે. 
  • બાબા સાહેબ આંબેડકરની મીણની પ્રતિમાના સમાવેશ સાથે જયપુર વેક્સ મ્યુઝિયમ હવે અગ્રણી હસ્તીઓની 43 મીણની પ્રતિમાઓ ધરાવે છે.
  • આ મ્યુઝિયમ વર્ષ 2016માં રાજસ્થાન સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના સહયોગથી સ્થપાયેલ છે.
  • ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમ 'હેરિટેજ સાઇટ' ઐતિહાસિક નાહરગઢ કિલ્લાની અંદર સ્થિત વિશ્વમાં મીણ સંગ્રહાલય તરીકેની વિશિષ્ટતા ધરાવે છે.
Wax statue of Baba Ambedkar installed in Jaipur Wax Museum

Post a Comment

Previous Post Next Post