રક્ષા મંત્રી દ્વારા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • દેહરાદૂનની ટન બ્રિજ સ્કૂલમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
  • CDS જનરલ બિપિન રાવતનું ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.
  • આ દુર્ઘટનામાં તેમની સાથે તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 જવાનો પણ આ અકસ્માતમાં નિધન પામ્યા હતા.
  • જનરલ રાવતનો જન્મ 16 માર્ચ 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં ચૌહાણ રાજપૂત પરિવારમાં થયો હતો.
  • તેઓએ 1978માં પોતાની કારકિર્દીની શરૂઆત 11મી ગોરખા રાઈફલ્સની પાંચમી બટાલિયન સાથે કરી હતી.
  • 31 ડિસેમ્બર 2016ના રોજ તેમને આર્મી સ્ટાફના વડા અને વર્ષ 2019માં ભારતના પ્રથમ CDS બનાવવામાં આવ્યા હતા. 
  • વર્ષ 2011માં તેઓને મિલિટરી-મીડિયા વ્યૂહાત્મક અભ્યાસ પરના તેમના સંશોધન માટે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠ તરફથી ફિલોસોફીની ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
Defence Minister Unveils The Statue General Bipin Rawat In Dehradun

Post a Comment

Previous Post Next Post