ભારત સરકાર દ્વારા નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને સ્વામીનાથનને ભારતરત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ ભારતના પાંચમાં પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ, નવમાં પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ તેમજ કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના જનક એમ. એસ. સ્વામીનાથનને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારતરત્ન' આપવામાં આવશે.
  • અગાઉ થોડા દિવસ પહેલા ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર (મરણોપરાંત) ને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • ભારતરત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જેની શરુઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી.
PV Narasimha Rao, Chaudhary Charan Singh & Dr MS Swaminathan to get Bharat Ratna

Post a Comment

Previous Post Next Post