તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ (ZWL) એવોર્ડ હાંસલ કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યુ.

  • કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII-ITC) સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા આ આ માન્યતા એનાયત કરવામાં આવી.
  • આ હેઠળ એરપોર્ટે દ્વારા તેનો 100 ટકા પ્લાસ્ટિક કચરો અને તેનો 100 ટકા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW), જેમાં ભીનો અને સૂકો કચરો બંનેનો સમાવેશ થાય છે, લેન્ડફિલ્સમાંથી દૂર કરવામાં આવ્યું.
  • નાણાકીય વર્ષ 2022-2023 માટે, તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ZWL પ્રેક્ટિસનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કચરાના મુખ્ય સ્ત્રોતોમાં કાગળ, કટલરી, ખોરાક અને રોડ વેસ્ટનો સમાવેશ થાય છે.
  • આ એરપોર્ટ દ્વારા તેના ISO 14001:2015 પ્રમાણપત્ર દ્વારા પર્યાવરણ વ્યવસ્થાપન સિસ્ટમ (EMS)ને ફરજિયાત પણે લાગુ કરવામાં આવે છે આ સિસ્ટમ દ્વારા સતત સુધારણા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણીય લક્ષ્યો નક્કી કરી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • આ સિસ્ટમમાં કચરાના અલગીકરણ, રિસાયક્લિંગ, મોનિટરિંગ અને ઘટાડવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે ટકાઉ કચરાના વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવા માટે ક્રેડલ-ટુ-ક્રેડલ સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  • એરપોર્ટ દ્વારા અલગ-અલગ કચરાના સંગ્રહ માટે ચોક્કસ સ્થળો નિયુક્ત કરવામાં આવ્યા છે જે પછી રિસાયક્લિંગ યાર્ડ અને પુનઃપ્રાપ્તિ સુવિધામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
Thiruvananthapuram airport receives zero waste to landfill accolade

Post a Comment

Previous Post Next Post