કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી.

  • આ મંજૂરી બાદ હવે જોશીમઠ તેના પ્રાચીન નામ જ્યોતિર્મથથી ઓળખાશે.
  • જોશીમઠથી માર્ગ બદ્રીનાથ, માના, વેલી ઑફ ફ્લાવર્સ અને હેમકુંડ તરફ જાય છે. નૈનિતાલ જિલ્લાના કોશ્યકુટોલી તાલુકાનું નામ બદલીને શ્રીકાંચી ધામ કરવાની પણ મંજૂરી આપવામાં આવી.
  • ગયા વર્ષે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. 
  • જોશીમઠને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 8મી સદીમાં આદિ ગુરુ શંકરાચાર્યએ આ વિસ્તારમાં કલ્પવૃક્ષ હેઠળ તપસ્યા કરી હતી. આ તપસ્યા પછી તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. 
  • દિવ્ય જ્ઞાન જ્યોતિ અને જ્યોતેશ્વર મહાદેવના કારણે આ સ્થાનને જ્યોતિર્મથ કહેવામાં આવ્યું હતું.
The central government has given permission to change the name of Joshimath located in Chamoli district of Uttarakhand

Post a Comment

Previous Post Next Post