- આ દાવો National Institute of Virology ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયો છે.
- આ દાવા મુજબ ભારતમાં પ્રથમવાર ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં ખતરનાક નિપાહ વાઇરસની એન્ટીબૉડી શોધવામાં આવી છે.
- નિપાહ વાયરસ ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર વખત જોવાયો છે.
- સૌપ્રથમ 2001માં પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતેથી, 2007માં પશ્ચિમ બંગાળના નદિયામાં, ત્રીજી વાર કેરળના કોઝિકોડ ખાતેથી પણ મળેલ છે જેમાં કેરળ ખાતે આ વાયરસના સંક્રમણથી 18 લોકોના મૃત્યું થયા હતા.