- આ બિલ આસામ વિધાનસભાના બજેટ સત્ર પહેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ મુક્યું છે.
- આ બિલમાં પાડોશી દેશ બાંગ્લાદેશ સરહદે ગાયોની તસ્કરી અટકાવવા માટે પણ જોગવાઇ છે.
- આ બિલમાં હિંદુ વિસ્તારોમાં તેમજ મંદિરથી પાંચ કિ.મી. ત્રિજ્યામાં બીફના વેપાર પર પ્રતિબંધ મુકવાની જોગવાઇ છે.
- આ કાયદો લાગૂ થયા બાદ ગાઇ જેવા પશુઓ, વાછરડા કે વાછરડીની હત્યા ત્યારે જ કરી શકાશે જ્યારે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ હાનિકારક કે નુકશાનકારક હોય.
- આ સિવાય બીફ વેચવા માટે પણ સરકાર પાસેથી લાઇસન્સ લેવું ફરજિયાત થશે.
