ADR દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં દેશના 363 સાંસદો અને ધારાસભ્યો સામે કેસ હોવાનું સામે આવ્યું.

  • દેશના કુલ 363 સાંસદ અને ધારાસભ્યો સામે કેસ થયેલા છે જો આ કેસ સાબિત થશે તો જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેઓને અયોગ્ય ઠેરવી શકાશે. 
  • Association for Democratic Reforms (ADR) દ્વારા કરાયેલ વિશ્લેષણ મુજબ કુલ 2,495 સાંસદો અને ધારાસભ્યોમાંથી 15% એટલે કે 363 સામે અદાલત દ્વારા આરોપ નક્કી કરાયા છે જેમાંથી 296 ધારાસભ્યો અને 67 સાંસદો છે. 
  • કુલ 363 નેતાઓમાંથી સૌથી વધુ 83 નેતા ભાજપના, 47 કોંગ્રેસના તેમજ 25 તૃણમૂલ કોંગ્રેસના છે. 
  • આ નેતાઓ વિરુદ્ધ કોઇપણ કલમ અથવા પેટકલમ હેઠળ દોષિત સાબિત થાય તો જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ-8 હેઠળ તેઓ તે તારીખથી જ તેઓને પોતાના પદ માટે અયોગ્ય જાહેર કરાશે તેમજ આગામી 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકશે નહી.
ADR Report


Post a Comment

Previous Post Next Post