કેન્દ્ર સરકાર દ્વારા 'ઉભરતે સિતારે ફંડ' ની જાહેરાત કરવામાં આવી.

  • આ યોજના દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને સહાય કરવા માટે જાહેર કરવામાં આવી છે જેમાં નવા ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ માટે ફંડ અપાશે. 
  • આ ફંડ એવી કંપનીઓને અપાશે જે એક્સપોર્ટ ઓરિએંટ કામ કરતી હોય. 
  • આ ફંડ એક્ઝિમ બેન્ક અને સિડબી દ્વારા સંયુક્ત રુપથી પ્રાયોજિત છે જેને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉત્તરપ્રદેશના લખનઉ ખાતેથી લોન્ચ કરાઇ છે. 
  • આ ફંડ કુલ 250 કરોડ રુપિયાનું છે તેમજ જરુર પડ્યે તેને 500 કરોડનું બનાવાશે. 
  • આ જાહેરાતની સાથોસાથ સરકાર દ્વારા કોરોના સમયમાં નોકરી ગુમાવનાર લોકોના વર્ષ 2022 સુધીના પ્રોવિડન્ટ ફંડનો કર્મચારીઓનો હિસ્સો પણ સરકાર દ્વારા જ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
Ubharte Sitare


Post a Comment

Previous Post Next Post