- utricularia janarthanamii નામની આ પ્રકારની વનસ્પતિ હાલ ભારતમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે.
- આ વનસ્પતિ માંસાહારી (Carnivorous) છે એટલે કે તેના મૂળ નાના જીવાણુઓને આરોગે છે!
- આ શોધ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) ની લાઇફ સાયન્સિસ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે.
- આ વનસ્પતિના મૂળ કોથળી જેવા હોય છે જ્યાથી તે સૂક્ષ્મ જીવોને ચૂસી લે છે.
- ભારતમાં લગભગ 100 વર્ષથી આ પ્રકારની વનસ્પતિ મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
