માલાબાર યુદ્ધ અભ્યાસ માટે ભારતના બે જહાજ ગુઆમ પહોંચ્યા.

  • આ બે યુદ્ધજહાજમાં INS Shivalik અને INS Kadmatt નો સમાવેશ થાય છે. 
  • વર્ષ 2021નો માલાબાર યુદ્ધ અભ્યાસ 26 ઑગષ્ટ થી 29 ઑગષ્ટ દરમિયાન યોજાનાર છે જેમાં પ્રથમવાર ગ્લોબલ ઓર્ડરમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેના અભ્યાસ કરશે. 
  • આ યુદ્ધાઅભ્યાસ પ્રશાંત મહાસાગરમાં ચાર દિવસ માટે આયોજિત થશે. 
  • માલાબાર યુદ્ધ અભ્યાસની શરુઆત 1992થી ભારત અને અમેરિકાની નૌસેના વચ્ચે થઇ હતી જેમાં વર્ષ 2007માં જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ થયા હતા ત્યારબાદ જાપાન વર્ષ 2015માં તેમજ ઓસ્ટ્રેલિયા 2020માં આ અભ્યાસનું કાયમી સભ્ય બન્યા હતા.
Malabar Exercise


Post a Comment

Previous Post Next Post