દક્ષિણ ગુજરાતના બીલીમોરા-વધઇ નેરોગેજ ઐતિહાસિક ટ્રેન ફરી શરુ કરવામાં આવી.

  • દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓને જોડતી આ ટ્રેન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ બંધ કરી દેવામાં આવી હતી જેનો વિરોધ થતા આ ટ્રેનમાં એસી કોચ જોડીને તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. 
  • આ ટ્રેન 114 વર્ષ જૂની છે જેને સયાજીરાવ ગાયકવાડે 1892માં વનબંધુઓના આર્થિક ઉત્થાનના હેતુથી શરૂ કરી હતી જેથી ગરીબ આદિવાસી પ્રજા શહેરી વિસ્તારોના સંપર્કમાં આવી શકે તેમજ રીત-રિવાજો જાણી શકે.
  • આઝાદી પહેલા આ ટ્રેન Gaekwar's Baroda State Railway (GBSR)GBSR હેઠળ આવતી હતી જેને આઝાદી પછી પશ્ચિમ રેલ્વેમાં સમાવવામાં આવી હતી. 
  • ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રેલ્વે મંત્રાલય દ્વારા 11 ઐતિહાસિક ટ્રેનોને બંધ કરી હતી જેમાં આ મુજબની ટ્રેનનો સમાવેશ થાય છે.2

ભારતની ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની યાદી:

    1. બીલીમોરા - વધઇ
    2. કોસંબા - ઉમરપાડા
    3. બરિયાવી - વડતાલ
    4. અંકલેશ્વર - રાજપીપળા
    5. ચાંદોદ - માલસર
    6. નડીયાદ - ભાદરણ
    7. સમાલિયા - ટીમબા
    8. ઝઘડિયા - નેત્રંગ
    9. છોટાઉદેપુર - જંબુસર
    10. કોરડા (ચોરંડા) - મોટીકોરલ
    11. છુછાપુરા - ટંખાલા 
Bilimora - vadhai Train


Post a Comment

Previous Post Next Post