- ભારત અને અલ્જિરિયા વચ્ચે આ પ્રથમવાર યુદ્ધ અભ્યાસ યોજાયો છે જે અલ્જિરિયાના તટીય ક્ષેત્રમાં યોજાયો હતો.
- આ યુદ્ધ અભ્યાસમાં ભારતના INS Tabar અને અલ્જિરિયાના જહાજ Ezzadjer એ ભાગ લીધો હતો.
- ભારત દ્વારા આ અભ્યાસને ઐતિહાસિક બતાવાયો છે તેમજ ભવિષ્યમાં બન્ને દેશની નૌસેનાઓ દ્વારા સંવાદ અને સહયોગના દરવાજા ખુલ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
- આ અભ્યાસમાં બન્ને દેશના જહાજોએ સંચાર પ્રક્રિયાઓ અને સ્ટીમ પાસ્ટ સહિત અનેક ક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો.
