દેશના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વેંકટા સુબ્રમણ્યમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તેઓની આ હોદ્દા પર નિમણૂંક ડિસેમ્બર, 2018ના રોજ થઇ હતી. 
  • તેઓનું આ રાજીનામું તાત્કાલિક અમલી ન બનતા તેઓની ટર્મ પુરી થતા 6 ડિસેમ્બરના રોજ લાગૂ થશે. 
  • તેઓ પહેલા આ પદ પર અરવિંદ સુબ્રમનિયન હતા જેઓ આ પદ પર ઑક્ટોબર, 2014 થી જૂન, 2018 સુધી રહ્યા હતા. 
  • આ પદ પર રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ ઑગષ્ટ, 2012 થી સપ્ટેમ્બર, 2013 સુધી રહ્યા હતા. 
  • આ પદ પર 1961 થી 1963 તેમજ 1965 થી 1967 દરમિયાન આઇ. જી. પટેલ રહ્યા હતા જેઓ મૂળ વડોદરાના ગુજરાતી હતા.
Krishnamurthy Venkata Subramaniam

Post a Comment

Previous Post Next Post